ખાતર વ્યવસ્થાપન
1, ઘઉંના પાકને પાયામાં ૧૦ થી ૧૨ ટન છાણીયું ખાતર આપવું
2, ઘઉંના પાકને નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ તત્વો અનુક્રમે ૧૨૦-૬૦-૬૦ કિ.ગ્રા./હેકટર પ્રમાણે આપવું જે માટે રસાયણિક ખાતરની ગણતરી નીચે મુજબ છે.
| ખાતર વ્યવસ્થાપન | |||
| સમય | ડીએપી (કિ.ગ્રા./હે.) | યુરીયા (કિ.ગ્રા./હે.) | મ્યુરેટ ઓફ પોટાશ (કિ.ગ્રા./હે.) |
| પાયાના ખાતર | ૧૩૦ | ૧૫ | ૧૦૦ |
| વાવણી બાદ ૨૦-૨૫ દિવસે | ૦ | ૧૩૦ | ૦ |
| વાવણી બાદ ૩૫-૪૦ દિવસે | ૦ | ૬૫ | ૦ |
3, જમીનનું પૃથકરણ કરાવતા જો સલ્ફર તત્વની ઉણપ જણાયતો પ્રતિ હેક્ટરે ૪૦ કિ.ગ્રા. ગંધક (ફોસ્ફો જીપ્સમના સ્વરૂપમાં) પાયામાં આપવું.
4, સુક્ષ્મ તત્વોની ઉણપ જણાયતો સુક્ષ્મ તત્વોનું પ્રવાહી ગ્રેડ-૪ ને ૧૦ લીટર પાણીમાં ૧૦૦ મી.લી પ્રમાણે ઉમેરી ૩ છંટકાવ (વાવણી બાદ ૩૦,૪૫ અને ૬૦ દિવસે) ઉભા પાકમાં કરવો.
ઘઉં