શેરડીની સફળ ખેતી માટે આટલું અવશ્ય કરો
- પરિપકવ તથા લામ પાકોનો બિયારણ માટે ઉપયોગ ન કરો.
- સુકારા અને રાતડા પ્રતિકારક જાતો (કો-૮૭ર૬૩, કો-૬૮૦૬, કો-એલ.કે-૮૦૦૧, કો.એન.-૯૧૧૩ર અને કો- ૮૭ર૬૩) નું વાવેતર કરો.
- રોગો અને જીવાતગ્રસ્ત બિયારણનો ઉપયોગ ન કરો.
- બિયારણ ગરમ ભેજવાળી હવા અને પારાયુકત દવાની માવજત આપ્યા બાદ જ રોપણી કરવી.
- શેરડી પછી જે તે વિસ્તારને અનુકુળ પાક ફેરબદલી કરો.
- ભલામણ મુજબ રોપણી અંતર અને બિયારણનો દર રાખી સમયસર રોપણી કરો.
- સેન્દ્રીય અને જૈવિક ખાતરોનો ઉપયોગ મહતમ કરો.
- જે-તે વિસ્તારને અનુકુળ ભલામણ મુજબ આંતરપાક જેવા કે, લસણ, ડુંગળી, ધઉં અને ઉનાળુ મગ, તલ, અડદ વગેરે પાક લેવા.
- શેરડીના પાકને શરૂઆતમાં ૪ થી પ મહિના સુધી અવશ્ય નિંદામણ મુકત રાખો.
- રોગ જીવાતોના અસરકારક નિયંત્રણ માટે સંકલિત રોગ-જીવાત નિયંત્રણ વ્યવસ્થા અપનાવો.
- પ્રવર્તમાન રોગ અને જીવાતોના પ્રશ્નોને ધ્યાનમાં રાખી કોઈપણ સંજોગોમાં એક કરતા વધુ લામ પાક ન લેવા.
શેરડી