ચણામાં પિયત વ્યવસ્થાપન

ઘેડ અને ભાલ ઉપરાંત ચરોતરની કયારીની જમીનમાં ચોમાસા બાદ જે ભેજ સંગ્રહાયેલો હોય છે, તેનો ઉપયોગ કરીને જ બિનપિયત ચણા લેવામાં આવે છે. જયારે પિયત ચણામાં પ્રથમ પિયત વાવેતર બાદ તુરંત અને બીજુ પિયત ૬ થી ૭ દિવસે આપ્યા બાદ પાકની કટોકટીની અવસ્થાઓ જેવી કે ડાળીઓ ફુટવી, ફૂલ આવવા, પોપટા આવવા અને દાણા ભરાતી વખતે જરૂરીયાત મુજબ જમીનના પ્રકાર મુજબ આપી શકાય.