મગફળીમાં પીળાશનું નિયંત્રણ

સામાન્‍ય રીતે મગફળીના પાનમાં પીળાશ પડવા માટે મુખ્‍યત્‍વે લોહની ઉણપ અથવા રેચક જમીન અથવા તાજા સેન્દ્રીય ખાતરનો ઉપયોગ કે રોગ જીવાતની અસરની પરિસ્‍થિતી જવાબદાર છે. જો લોહ તત્‍વની ખામી હોય તો મગફળીનો પાક પીળો દેખાય ત્‍યારે ૧૦૦ ગ્રામ ફેરસ સલ્‍ફેટ (હીરાકસી) ની સાથે ૧૦ ગ્રામ સાયટ્રીક એસિડ (લીંબુના ફુલ) ૧૦ લીટર પાણીમાં ઓગાળી છંટકાવ કરવો. જરૂર જણાય તો બીજો છંટકાવ ૮ થી ૧૦ દિવસના અંતરે કરવો. જો રેચક પ્રકારની જમીન હોય તો પાણીના નીકાલની વ્‍યવસ્‍થા કરી, વરાપ થયે આંતર ખેડ કરવી તેમજ જમીનમાં એમોનીયમ સલ્‍ફેટ ખાતર આપવું.