પિયત વ્યવસ્થાપન

  • પ્રાથમિક પિયત (ઓરવાણ) આપ્‍યા પછી વરાપ થયે વાવેતર કરવુ અને પ્રદેશ મુજબ કયારાની પહોળાઈ-લંબાઈ રાખવી. ઉનાળુ મગફળીના પાકમા સમયસર પિયત આપવુ એ ખૂબ જ અગત્‍યની બાબત છે.
  • પિયતની સંખ્‍યા અને બે પિયત વચ્‍ચેનો ગાળો જમીન ના  પ્રકાર અને સ્‍થાનિક હવામાન ઉપર આધાર રાખે છે.
  • સૌરાષ્‍ટ્ર વિસ્તારમા ઉનાળુ મગફળી પકવતા ખેડૂતોએ પિયત માટે કયારા પઘ્‍ધતિ અપનાવવી. સામાન્‍ય સંજોગોમાં કયારાનું માપ ર૦ × ૧.૮ મીટર રાખી નીચે પ્રમાણે ઓરવાણ પછી ૧૧ પિયત આપવાની ભલામણ કરવામાં આવે છે.
  • પ્રથમ પિયત વાવણી બાદ તુરત જ આપવુ, સારા ઉગાવા માટે
  • બીજુ પિયત ૧૮ થી ર૦ દિવસે, વાનસ્‍પતિક વૃઘ્‍ધિ પર અંકૂશ રાખવા,         
  • ત્રીજુ અને ચોથુ પિયત ૩૦ અને ૪૦ દિવસે, જમીનમાં સૂયા બેસતી વખતે,    
  • પાંચથી નવ પિયત ૭ થી ૮ દિવસના અંતરે, ડોડવાના વિકાસ માટે બાકીના બે પિયત ૮ થી ૧૦ દિવસના અંતરે, કાપણી પહેલા આપવા.
  • દક્ષિાણ સૈારાષ્ટ્ર ખેત આબોહવાકીય  વિસ્તારમાં ઉનાળુમાં મગફળીનુ વાવેતર કરતા ખેડૂતોને વધુ ઉત્પાદન અને ચોખ્ખી આવક મેળવવા માટે ૪૦ કીગ્રા પોટાશ એક સરખા છ હપ્તામાં ૮ દીવસના અંતરે          (પ્રથમ હપ્તો  વાવેતર બાદ ર૦ દીવસે) ટપક પદ્ધતિથી આપવો આ સાથે ભલામણ કરેલ નાઈટ્રોજેન અને ફોસફરસ (રપ-પ૦ કિ.ના.ફો./હે) ખાતરો પણ આપવા. ટપક પધ્ધતીની વિગત  નિચે મુજબ છે.

વિગત

પરીચાલનો સમય

મહિનો

મીનીટ

પાણીની નળીઓનુ અંતર : ૬૦ સે.મી.

ફેબ્રુઆરી

૭૫-૮૦

ટપકણીયાનુ અંતર : ૪૫ સે.મી.

માર્ચ

૧૦૦-૧૧૦

ટપકણીયાનો સ્ત્રાવ ક્ષમતા : ૪ લીટર પ્રતિ  કલાક

એપ્રીલ

૧૨૦-૧૨૫

પરીચાલનનુ દબાણ : ૧.૨ કિ.ગ્રા. પ્રતિ ચો.સે.મી.

મે

૧૩૦-૧૩૫

પરીચાલનનુ પૂનરાવ્રુતિ

એકાંતરા દિવસે