ઔષધિય મહત્વ
આયુર્વેદમાં તેને ઉત્તમ રસાયણ અને બલકારક ગણેલ છે. ભાંગરો વાળ ના રોગો , ચર્મરોગ ,લિવર ના રોગો,દંતરોગ,નેત્રરોગ,અંત્રદોષ વગેરે અનેક રોગોને મટાડે છે. કેશતેલ બનાવવા માટે તે ખૂબ ઉપયોગી છે. તે ઠંડો હોવાથી દાહ , ગરમીનો માથાનો દુ:ખાવો, અમ્લ-પિત, કમળો વિગેરેમાં પણ વપરાય છે. સૂકાં કરતાં લીલો ભાંગરો વધુ ગુણકારી છે. ભાંગરામાંથી બિંદુતેલ, મહા-ભૃંગરાજતેલ, ભૃંગરાજાસવ વિગેરે ઔષધો બનાવવામાં આવે છે. પેટના કૃમિ, કમળો, દૂર્બળતા, લોહીની ઉણપ વિગેરેમાં નિષ્ણાંત વૈદ્યો આના ઉપયોગથી આશ્ર્ચર્યકારક પરીણામો મેળવતા હોય છે. ભૃંગરાજ ચામડીના દર્દોમાં, અરુચિ (ભુખ ન લાગવી), એસિડિટી, કમળો તથા પાંડુરોગ (એનીમિયા) માટે વાપરવામાં આવે છે.
ભાંગરો(ભૃંગરાજ)