સોયાબીન ની ભલામણો

૧) ખારી જમીનમાં સોયાબીનની જુદી-જુદી જાતના વાવેતર માટે જમીન સુધારકોની ભલામણ દક્ષિણ સૌરાષ્‍ટ્ર ખેત આબોહવાકિય વિસ્‍તાર કે જયાં ભાસ્‍મીક જમીનમાં ખરીફ ઋતુમાં સોયાબીન ઉગાડતા ખેડૂતોને ભલામણ કરવામાં આવે છે કે સોયાબીનની એન.આર.સી.-૩૭ જાત ભલામણ મુજબ રાસાયણીક ખાતર ૩૦-૬૦-૦૦ ના-ફો-પો કિગ્રા/હે. તેમજ છાણિયુ ખાતર ૧૦ ટન/હે સાથે જીપ્‍સમ જરૂરીયાતના ૫૦ % મુજબ આ૫વાથી વધારે ઉત્પાદન અને ચોખ્‍ખુ વળતર મળે છે.