સોયાબીનમાં આવતા મૂખ્ય રોગો અને તેનું નિયંત્રણ
|
ક્રમ
|
રોગનું નામ
|
નિયંત્રણ
|
|
૧
|
ફાયટોપ્થોરા થી થતો મૂળનો કોહ્વારો
|
- કોપર ઓક્સીક્લોરાઈડ ૫૦% વે.પા. ૧૦ લીટર પાણીમાં ૪૦ ગ્રામ ઓગાળી રોગની શરૂઆત થયે છંટકાવ કરવો. બીજો છંટકાવ ૧૫ દિવસ પછી કરવો.
- મેટાલેક્ઝીલ ૮% + મેન્કોઝેબ ૬૪% વે.પા. નું તૈયાર મિશ્રણ ૧૦ લીટર પાણીમાં ૧૫ થી ૨૦ ગ્રામ મુજબ ઓગાળી છંટકાવ કરવો.
|
|
૨
|
મૂળનો કોહ્વારો
|
- બીજને વાવતા પહેલાં મેન્કોઝેબ દવાનો કિલો બીજ દીઠ ૩ ગ્રામ મુજબ બીજ માવજત આપીને વાવેતર કરવું.
- ટ્રાઈકોડરમા હર્જીયાનમ અથવા ટ્રાઈકોડરમા વિરીડી ૨.૫ કિલો દેશી ખાતર સાથે ભેળવી જમીનમાં વાવતી વખતે ચાસમાં આપવું.
|
|
૩
|
મોઝેક વાઇરસ
|
- સમયાંતરે ખેતર માંથી રોગીસ્ટ છોડ ઉપાડી તેનો નાશ કરવો.
- પાકનો ફેરબદલી અપનાવવી.
- આ રોગ ચુસીયા પ્રકારની જીવાતોથી ફેલાતો હોય તેનું નિયંત્રણ કરવું.
|
|
૪
|
ભુકીછારો
|
- રોગની શરૂઆત થયે પાણીમાં દ્રાવ્ય ગંધક ૮૦% વે.પા. ૧૦ લીટર પાણીમાં ૨૫ (૦.૨%) ગ્રામ મુજબ ભેળવી છંટકાવ કરવો. જરૂર પડયે બીજો છંટકાવ ૧૫ દિવસ બાદ કરવો. અથવા
- હેક્ઝાકોનાઝોલ ૦.૦૦૫% ૧૦ લીટર પાણીમાં ૧૦ મિલી મુજબ ભેળવી છંટકાવ કરવો. જરૂર પડયે બીજો છંટકાવ ૧૫ દિવસ બાદ કરવો.
|
સોયાબીનમાં આવતી મુખ્ય જીવાત અને તેનું નિયંત્રણ
|
ક્રમ
|
જીવાતનું નામ
|
નિયંત્રણ
|
|
૧
|
લશ્કરી ઈયળ/ સેમીલુપર
|
- પ્રકાશ પિંજર નો ઉપયોગ કરવો.
- મોઝણી માટે ફેરોમન ટ્રેપ ૬ પ્રતિ હેક્ટર ગોઠવવા.
- કલોરપાયરીફોસ ૨૦ ઈસી ૨૦ મી.લી. અથવા ક્વીનાલફોસ ૨૫ ઈસી ૨૦ મી.લી. અથવા ક્લોરાન્ટ્રાનિલિપોલ ૨૦ એસસી ૩ મિ.લિ. અથવા ઇન્ડોક્ઝાકાર્બ ૧૫.૮ ઇસી ૫ મિ.લિ. અથવા એમામેક્ટીન બેન્ઝોએટ ૫ ડબલ્યુજી ૪ ગ્રામ પૈકી કોઈ૫ણ એક દવા ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
|
|
૨
|
ગર્ડલ બીટલ
|
- વાવણી સમયે કાર્બોફ્યુરાન ૩% (૨૦-૨૫ કિલો/હે) દાણાદાર દવા રેતી સાથે ભેળવી ચાસમાં આપવી.
- કલોરપાયરીફોસ ૨૦ ઈસી ૨૦ મી.લી. અથવા ક્વીનાલફોસ ૨૫ ઈસી ૨૦ મી.લી. અથવા ક્લોરાન્ટ્રાનિલિપોલ ૨૦ એસસી ૩ મિ.લિ. અથવા ઇન્ડોક્ઝાકાર્બ ૧૫.૮ ઇસી ૫ મિ.લિ. અથવા એમામેક્ટીન બેન્ઝોએટ ૫ ડબલ્યુજી ૪ ગ્રામ પૈકી કોઈ૫ણ એક દવા ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
|
|
૩
|
પાન કથીરી
|
- કથીરીનાશક દવાઓ જેવીકે ફેનાઝાક્વીન ૧૦ ઈસી ૧૦ મી.લી. અથવા ડાયફેન્થુરોન ૫૦ ડબલ્યુપી ૧૦ ગ્રામ અથવા પ્રોપરગાઈટ ૫૭ ઈસી ૧૫ મી.લી. પૈકી કોઈ૫ણ એક દવા ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
|