વાવેતર સમય અને પધ્ધતિ

વાવેતર સમય :

 ઓકટોબર-નવેમ્‍બર, સંશોધનના પરિણામો પરથી તારણ મળેલ છે કે ૧ થી ર૧ ઓકટોબર દરમ્‍યાન વાવેતર કરવાથી વધુ ઉત્પાદન મળે છે. 

વાવેતર પઘ્‍ધતિ :  લસણની વાવણી થાણીને, છાંટીને કે ઓરીને કરવામાં આવે છે. 

થાણીને બે હાર વચ્‍ચે  ૧૦ થી ૧પ  સે.મી. તથા હારમાં બે કળી વચ્‍ચે ૧૦ સે.મી.નું અંતર રાખી  અગાઉથી તૈયાર કરેલા કયારામાં હાથથી  વાવેતર કરવામાં આવે છે.

છાંટીને :  આ પઘ્‍ધતિમાં અગાઉથી તૈયાર કરેલ  કયારામાં કળીઓ હાથથી એક સરખી છાંટવામાં  આવે છે. ત્‍યારબાદ ખંપાળીની મદદથી જમીનમાં ભેળવી તૂરતજ પાણી આપવું.

ઓરીને :  કયારામાં બળદ  કે ટ્રેકટર દ્રારા બે હાર વચ્‍ચે ૧પ સે.મી. નું અંતર  રાખી વાવેતર કરવામાં આવે છે.