ભીંડા ની ભલામણો

૧) ચોમાસુ ભીંડાના પાક વાવતા ખેડુંતો માટે મલ્‍ટિમાઈક્રોન્‍યુટ્રીઅન્‍ટ આ૫વાની ભલામણ
દક્ષિણ સૌરાષ્‍ટ્ર ખેત આબોહવાકિય વિસ્‍તારમાં મઘ્‍યમ કાળી ચુનાયુકત જમીનમાં ચોમાસુ ભીંડાનું વાવેતર કરતા ખેડૂતોને ભલામણ કરવામાં આવે છે કે, ભીંડાના પાકમાં ભલામણ કરેલ રાસાયણિક ખાતર (૧૫૦-૫૦-૫૦ ના-ફો-પો કિ.ગ્રા./હે.) ઉ૫રાંત જમીન ચકાસણી મુજબ સૂક્ષ્મતત્‍વો પાયામાં આ૫વાથી ભીંડાનું વધુ ઉત્પાદન અને નફો મળે છે. વિકલ્પમાં ભીંડાના પાકમાં ભલામણ કરેલ રાસાયણિક ખાતર (૧૫૦-૫૦-૫૦ ના-ફો-પો કિ.ગ્રા./હે.) ઉ૫રાંત મલ્‍ટીમાઈક્રોન્‍યુટ્રીઅન્‍ટ ગ્રેડ-૪ ( લોહ-મેન્‍ગેનીઝ-ઝીંક-કો૫ર-બોરોન, ૪.૦-૧.૦-૬.૦-૦.૫-૦.૫ ટકા) ના ૧ ટકા દ્રાવણનો ૪૫, ૬૦ અને ૭૫ દિવસે છંટકાવ કરવાથી ૫ણ ભીંડાનું વધુ ઉત્પાદન અને ચોખ્‍ખો નફો મેળવી શકાય છે.