વરિયાળીના પાક માટે પાક સંરક્ષણના પગલાઓ કયા કયા છે ?
વરિયાળીમાં ચરમી અને થડનો કોહવારો ખૂબ જ નુકશાનકારક રોગ છે. તેના નિયંત્રણ માટે બીયારણ વાવતા પહેલા થાયરમ અથવા કેપ્ટાન દવાનો ર થી ૩ ગ્રામ પ્રતિ કિલો બીજ પ્રમાણે પટ આપવો તેમજ રોગ દેખાય કે તરત જ મેન્કોઝેબ દ્રાવણ ૦.ર% (રપ ગ્રામ દવા / ૧૦ લીટર પાણીમાં) ની સાથે રપ મી.લી. સાબુનું સંતૃપ્ત દ્રાવણ મિશ્ર કરી છોડ ઉપર ધુમ્મસરૂપે છાંટવું. રસ ચુસીને નુકશાન કરતી જીવાતો જેવી કે મોલોમશી, થ્રીપ્સ વગેરેના નિયંત્રણ માટે ડાયમીથોએટ અથવા મિથાઈલ-ઓ-ડીમેટોન પૈકી કોઈપણ દવા ૧૦ મિ.લિ./૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
વરીયાળી