વરિયાળીની કાપણી અને સુકવણી માટેના અગત્‍યના મુદાઓ કયા કયા છે ?

શિયાળુ પાક ૧પ૦ થી ૧૬૦ દિવસે જયારે ચોમાસુ વરિયાળી આશરે ર૧પ દિવસે તૈયાર થાય છે. વરિયાળીમાં ચકકર પરિપકવ થાય ત્‍યારે દાણાની ઉપરની નસો લીલી હોય છે જેને કારણે દાણાનો રંગ લીલો રહે છે. જે વીણી માટે યોગ્‍ય સમય છે. દાણાને દબાવતા તેમાંથી મીણ જેવો રસ નીકળે તે સમયે કાપણી કરવી. વરિયાળીની સુકવણી ત્રણ રીતે થઈ શકે છે. સ્‍થાનિક પઘ્‍ધતિમાં વરિયાળીના ચકકરો ઉતારીને ખળામાં, ઘરની અગાશીમાં કે ઝાડના છાંયામાં સુકવવાથી સૂર્યના કિરણો અને ઝાકળની અસરથી દાણાનો રંગ બગડી જાય છે. ર્ેિસ્‍તરીય પઘ્‍ધતિમાં વાંસના મંડપથી છાંયો રહે તેવી વ્‍યવસ્‍થા ઉભી કરવામાં આવે છે જેમાં વચ્‍ચે એક ભાગ ઉપર વરિયાળીને સુકવવામાં આવે છે અને આંતર દિવસે ઉપર નીચે કરવામાં આવે છે. આ પઘ્‍ધતિથી વરિયાળીનો રંગ જળવાઈ રહે છે. જયારે ત્રિસ્‍તરીય પઘ્‍ધતિમાં વાંસના મંડપમાં ઉપરના ભાગે તાર બાંધી વચ્‍ચે ભાગ પાડવામાં આવે છે જેના ઉપર તાજી ઉતારેલ વરિયાળીને પહેલા બે ત્રણ દિવસ તાર ઉપર સુકવવામાં આવે છે ત્‍યારબાદ વચ્‍ચેના ભાગમાં રાખવામાં આવે છે અને પુરેપુરી સુકાયા બાદ નીચે ઢગલો કરવામાં આવે છે.

વરીયાળી