વરિયાળીમાં ખાતર તથા પિયત વ્‍યવસ્‍થાના મુખ્‍ય મુદાઓ કયા કયા છે ?

શિયાળુ વરિયાળીમાં ભલામણ કરેલ ખાતરો સેન્‍દ્રિય તત્‍વના રૂપમાં આપવા માટે હેકટરદીઠ ૧૮ ટન છાણિયું ખાતર અથવા ૧.પ ટન રાયડાનો ખોળ આપવો. ચોમાસુ વરિયાળીમાં ૧૦૦-૬૦-૦૦ જયારે શિયાળુ વરિયાળીમાં ૯૦-૩૦-૦૦ ના.ફો.પો. કિ.ગ્રા./હેકટર મુજબ રાસાયણીક ખાતર આપવું. ફોસ્‍ફરસ અને પોટાશનો બધો જ જથ્‍થો તથા કુલ નાઈટ્રોજનનો અડધો જથ્‍થો વાવણી સમયે આપવો. બાકીનો અડધો નાઈટ્રોજન બે સરખા હપ્‍તામાં ફેરરોપણી બાદ ૩૦ અને ૬૦ દિવસે આપવો.
ચોમાસુ વરિયાળીને વરસાદ બંધ થયે એક મહિના બાદ પ્રથમ પિયત આપવું ત્‍યારબાદ જમીનની પ્રત પ્રમાણે ૧પ થી ર૦ દિવસના અંતરે કુલ ૬ થી ૮ પિયત આપવા. શિયાળુ વરિયાળીને પ્રથમ પિયત વાવેતર વખતે અને બાકીના પિયત ૧પ થી ર૦ દિવસના અંતરે ફેબ્રુઆરી માસ સુધી કુલ ૮ પિયત આપવા. ગુંદરીયા રોગથી પાકને બચાવવા ડિસેમ્‍બર-જાન્‍યુઆરી દરમ્‍યાન લાંબાગાળે જરૂરિયાત હોય તો જ પિયત આપવા તેમજ વાદળછાયા વાતાવરણમાં પિયત આપવાનું ટાળવું. વરિયાળીમાં ડાળીઓ ફુટવી, ફુલ અવસ્‍થા અને દાણાના વિકાસ સમયે અવશ્‍ય પિયત આપવું. પિયત પાણીના કાર્યક્ષમ ઉપયોગ અને વરિયાળીના વધુ ઉત્પાદન માટે ટપક પઘ્‍ધતિથી પિયત આપવું.

વરીયાળી