વરિયાળીમાં ધરૂ ઉછેર કઈ રીતે કરવું ?

વરિયાળીના વધુ ઉત્પાદન અને સફળ વાવેતર માટે વિશ્વાસપાત્ર અને તંદુરસ્‍ત ધરૂ મળી રહે તે માટે ખેડૂતોએ પોતાના જ ખેતરમાં ધરૂવાડિયું બનાવવું આવશ્‍યક છે. આ માટે જમીન સપાટ, સરખી પ્રતવાળી, સારા નિતારવાળી અને ઉંચી જગ્‍યાએ તેમજ નિંદણ, રોગ, કીટક અને કૃમિમુક્‍ત, પિયતની સગવડવાળી જમીન પસંદ કરવી. ધરૂવાડિયાના કયારા અંદાજિત ૩×૧ મીટરના બનાવવા અને હેકટર વિસ્‍તારની ફેરરોપણી માટે ૧૦૦ ચો.મી. જમીનમાં ૧.પ કિ.ગ્રા. બીજનો ઉપયોગ કરી ધરૂવાડિયું બનાવવું. બીજને વાવતા પહેલા ર૪ કલાક સુધી પાણીમાં પલાળી છાંયામાં સુકવી થાયરમ જેવી દવાનો પટ આપીને વાવવું. વાવણી બાદ ૪૦ થી ૪પ દિવસે ફેરરોપણી કરવી.

વરીયાળી