વરિયાળીના પાકમાં ઓછી અથવા બિનખર્ચાળ પઘ્‍ધતિઓ દ્વારા ઉત્પાદન વધારવાની મુખ્‍ય ચાવીઓ કઈ-કઈ છે ?

વરિયાળીનું વાવેતર ચોમાસાની ઋતુમાં ફેરરોપણીથી અને શિયાળુ ઋતુમાં ચાસમાં ઓરીને કરવું જોઈએ. સામાન્‍ય રીતે ચોમાસુ વરિયાળીના વાવેતર માટે ૯૦×૬૦ સેમી અંતરે ફેરરોપણી કરવાની ભલામણ છે. જેથી ફેરરોપણી બાદ નિંદણ નિયંત્રણ માટે આડી ઉભી આંતરખેડ કરી શકાય અને વરસાદના પાણીનો જમીનમાં સારી રીતે સંગ્રહ કરી શકાય. ચાસમાં વાવેતર દરમ્‍યાન ઘણીવાર બે છોડ વચ્‍ચે યોગ્‍ય અંતર જાળવી શકાતું નથી તેથી એકમ વિસ્‍તારમાં છોડની સંખ્‍યામાં વધારો થવાથી બિયારણનો ખર્ચ વધે છે તેમજ પોષક તત્‍વોની હરીફાઈ વધતા સમતોલ વિકાસ થતો નથી. ઘાટુ વાવેતર હોય તો હવાની અવર જવર ન થવાથી ભેજનું પ્રમાણ વધતા ચરમીનો રોગ પણ આવવાની સંભાવના વધી જાય છે. જેથી પાકની ઉત્‍પાદકતા ઘટે છે. શિયાળુ વરિયાળીની વાવણી રેતાળ અને ગોરાડુ જમીનમાં ૪પ×૧પ અથવા ૩૦×રર.પ સેમી અંતર રાખવાથી મહતમ ઉત્પાદન મેળવી શકાય છે, પરંતુ ફળદ્રુપ મઘ્‍યમ કાળી જમીનમાં અંતર ૬૦ થી ૯૦ સેમી રાખવું. નાઈટ્રોજનયુક્‍ત ખાતરોને બે હપ્‍તામાં પૂર્તિ ખાતરના રૂપે અને ફોસ્‍ફરસયુક્‍ત ખાતરોનો બધો જ જથ્‍થો વાવણી સમયે આપવાથી ખાતરોની કાર્યક્ષમતામાં વધારો કરી શકાય છે. ચોમાસુ વરિયાળીના પાકમાં સારી વૃઘ્‍ધિ અને ચક્કરોનું પ્રમાણ વધારે હોવાથી છોડને ઢળી પડતો અટકાવવા માટે પાકની ફેરરોપણીના ૭પ દિવસે છોડની ફરતે માટી ચડાવવી.

વરીયાળી