મસાલા પાકો પૈકીના વરિયાળીનું દેશના કુલ ઉત્પાદન માંથી ૮પ ટકા જેટલુ ઉત્પાદન એકલા ગુજરાત રાજયમાંથી થાય છે. તેમજ રાજયની વરિયાળીની ઉત્પાદક્તા વિશ્વમાં સૌથી વધુ છે. મસાલા પાકોની નિકાસ દ્વારા મળેલ હુંડીયામણમાં જીરૂ તથા વરિયાળીનો લગભગ પ૦ ટકા જેટલો ફાળો રહેલ છે. સમગ્ર વિશ્વમાં ખોરાકની બદલાયેલ અભિરૂચિને કારણે વરિયાળી સહિત બધા જ મસાલાનો વપરાશ વાર્ષિક ૧૦ ટકાના દરે વધે છે. જેથી તેની માંગ રોજબરોજ વધતી જ રહેવાની છે. મસાલા પાકોના કુલ વાવેતર વિસ્તારમાં ૧૧ ટકા જેટલો વરિયાળીના પાકનો ફાળો રહેલો છે. રાજયમાં ખેડા જિલ્લામાં સૌથી વધારે વરિયાળીનું વાવેતર થાય છે.
વરિયાળીના પાકમાં ઉડયનશીલ તેલ તેમજ ઓલીયોરેઝીન નામનું તત્વ રહેલ છે જો આ બંને ચીજો વરિયાળીના પાકમાંથી કાઢવામાં આવે તો વિશ્વ બજારમાં તેની માંગ જોતા વરિયાળીનું લગભગ ર થી ૩ ગણુ મૂલ્ય વધી જાય છે.
વરિયાળીના પાક વિશેની પ્રાથમિક માહિતી અને રાજયમાં તેના ભાવિ વિશે જણાવો.
વરીયાળી