જીરૂની વાવણી કયારે કરવી જોઈએ ? તેમજ એક હેકટરના વાવેતર માટે કેટલું બિયારણ જોઈએ ?

જીરૂના સાર ઉગાવા માટે ઠંડુ અને સુકુ હવામાન જરૂરી હોવાથી નવેમ્‍બર માસના પ્રથમ અઠવાડીયામાં જયારે મહતમ ઉષ્‍ણતામાન ૩૦ સે.ગ્રે. આજુબાજુ હોય ત્‍યારે કરેલ વાવણી વધારે લાભદાય પૂરવાર થયેલી છે. મોડી વાવણી કરવાથી રોગ-જીવાતનો ઉપદ્રવ વધે છે અને ઉત્પાદન ઘટે છે. એક હેકટરના વાવેતર માટે અંદાજે ૧ર થી ૧૬ કિ.ગ્રા. બિયારણની જરૂર પડે છે.

જીરું