પ્રશ્ન-૪૬: બાજરાના પાકને સાંઠાની માખી તેમજ ગાભમારાની ઇયળ કેવી રીતે નુકશાન કરે છે ?

સાંઠાની માખી સામાન્ય રીતે ઘરમાં જોવા મળતી માખી કરતા અડધા કદની હોય છે. બાજરાનો પાક જયારે બે-ત્રણ પાનની અવસ્થાએ પહોંચે ત્યારે માદા પાનની નીચે ઘોરી નસને સમાંતર સફેદ હોડી આકારનાં ઈંડા મુકે છે. ઈંડા સેવાતાં તેમાંથી પગ વીનાના સફેદ રંગની ઈયળ બહાર આવે છે. જે પાનની ઉપરની બાજુએ આવી પહોચી ત્યાંથી વચલી ડુંખમાં દાખલ થઇ ત્યાં કોંચીને ડુંખ કાપી નાખે છે. તેથી વચલી ડુંખ સુકાઈ જાય છે, જેને ડેડ હાર્ટ કહેવામાં આવે છે. ગાભમારાની ઈયળ મેલા સફેદ રંગની અને શરીર પર છુટા છવાયા કાળા ટપકાં જોવા માળે છે. ઈંડા સેવાતા તેમાંથી સફેદ રંગની ઈયળ નીકળે છે. જે પાન ઉપરથી ભૂંગળીમાં દાખલ થાય છે. જેના નુકશાનને લીધે પાનમાં સમાંતર કાંણા જોવા મળે છે. ઉપરાંત ડુંડા અવસ્થાએ ગાભમારાની ઈયળ છોડની છેલ્લી આંતરગાંઠ અને ડુંડા વચ્ચે દાખલ થઇ અંદરથી કોરી ખાય છે. જેથી ડુંડામાં દાણા બેસતા નથી.

બાજરો