પ્રશ્ન-૪૫: બાજરાના પાનાના ટપકા (બ્લાસ્ટ)રોગની ઓળખ તથા તેના નિયંત્રણ વિષે માહિતી આપશો ?

શરૂઆત નાં સમયમાં આ રોગ ગૌણ હતો. પણ બદલાતા વાતાવરણના કારણે આ રોગની શરૂઆત થઇ હોય તેવુ અનુમાન છે અને સમય સાથે રોગની તીવ્રતા પણ વધતી જાય છે. ગરમ તેમજ વધુ પડતા ભેજ અને સતત વરસાદવાળા વાતાવરણમાં રોગનો ઉપદ્રવ વધે છે. શરૂઆતમાં છોડનાં પાનના છેડે પાણી જેવા પોચા ટપકા જોવા મળે છે. ધીમે ધીમે પાના પર ભૂરા, કથ્થાઈ, કાળા લંબગોળથી ગોળ ત્રાક આકારના ટપકા બને છે. વચ્ચેનાં ભાગે ઓછા સફેદ રાખોડી જેવો ભાગ દેખાય છે. જેમાં ફૂગનો ઉગાવો અને બીજકણો હોય છે. તેમના ફરતે કાળાશથી કથ્થાઈ રંગની કિનારી ફરતે રતાશથી પીળી થઈએ આગળ વધી છેડેથી સુકાવા લાગે છે. આ રોગ ઉગ્ર સ્વરૂપમાં આવે તો છોડ નો અન્ય ભાગો પર પણ ચિન્હો જોવા મળે છે જેને લીધે છેવટે દાણાનું ઉત્પાદન તથા ચારાની ગુંણવતા ઘટે છે. જેના નિયંત્રણ માટે પાનના તાપકાના રોગ સામે પ્રતિકારક જાતોનું વાવેતર કરવું. રોગની શરૂઆત થાય કે તરત જ કાર્બેન્ડાઝીમ ૫૦ ટકા વે.પા. ૧ ગ્રામ/લિટર પાણીમાં ઓગાળી છંટકાવ કરવો.

બાજરો