ફૂગથી થતા આ રોગમાં સામાન્ય રીતે શરૂઆતમાં પાન પર નાના કથ્થાઈ રંગના ટાંચણીનાં માથા જેવડા, કાટ જેવા ગોળ, અસંખ્ય ટપકા જોવા મળે છે. સામાન્ય ગરમ અને ભેજવાળું અને રાતનું સામન્ય ઠંડું વાતાવરણ મળતા રોગનો ઉપદ્રવ વધે છે. ટપકા કદમાં વધી છેવટે ફાટી તેમાંથી રોગકારકનાં બીજાણુંઓની ભૂકી નીકળે છે. જે હવા મારફતે ફેલાઈ છોડમાં રોગ ફેલાવે છે. સામાન્ય રીતે ચોમાસામાં પાકની પાછલી અવસ્થામાં રોગ વહેલો જોવા મળે છે. પરંતુ ઋતુ પ્રમાણે જો રોગ વહેલો અને ઉગ્ર સ્વરૂપમાં જોવા મળે તો પાન કથ્થાઈ થઈ સુકાવા લાગે છે. દાણા કદમાં નાના રહે છે. જેથી ઉત્પાદનમાં ઘટ આવે છે. તેમજ ચારાની ગુણવત્તા ઘટે છે. નિયંત્રણ: રોગ પ્રતિકારક જાતોનું વાવેતર કરવું. રોગની શરૂઆત થાય કે તરત જ મેન્કોઝેબ અથવા ઝાયનેબ ૦.૨ ટકાનો છંટકાવ કરવો અને ત્યારબાદ ૧૫ દિવસે જરૂરીઆત મુજબ બીજો છંટકાવ કરવો.
પ્રશ્ન-૪૪: ગેરૂ (રસ્ટ) રોગ વિષે ટુકમાં જણાવશો? અને તેના નિયંત્રણ વિષે સમજાવો.
બાજરો