પ્રશ્ન-૩૯: બાજરાના ગુંદરીયા રોગનાં લક્ષણો વિષે જણાવો.

આ રોગ ડુંડા અવસ્થાએ જ જોવા મળે છે. ડુંડામાં ફૂલ આવવાની શરૂઆત થાય ત્યારે ડુંડા માંથી મધ જેવો ચીકણો પ્રવાહી પદાર્થ ઝરે છે. જે ડુંડા પર રેલાઈ, પાન અને જમીન પર પડે છે. તે ભાગ થોડો સફેદ ભૂખરા ડાઘા પડ્યા હોય તેવો લાગે છે. આમાં ફૂગનાં અસંખ્ય બીજાણુંઓ હોય છે. ડુંડામાનું ચીકણો પ્રવાહી સુકાતા દાણાની જગ્યાએ કાળાથી ભૂખરા રંગની, કદમાં દાણાથી થોડી મોટી અને લાંબી કઠણ પેશીઓ બને છે. આવી પેશીઓ તથા મધ જેવા પદાર્થમાં આલ્કોહોલાઈડસ જેવો ઝેરી પદાર્થ રહેલો હોય છે. જેથી આવા રોગિષ્ટ ડુંડા, દાણ તથા છોડના ભાગ પશુ તેમજ મનુષ્યના ખોરાકમાં આવે નહિ તેની તકેદારી રાખવી જોઈએ. આ રોગના લીધે પાકના ઉત્પાદન પર માઠી અસર પડે છે.

બાજરો