આ રોગ નાં લક્ષણો મુખ્યત્વે બે તબક્કામાં જોવા મળે છે. (ક) ધરૂ અવસ્થા: પાન જયાથી જોડાયેલ હોય તે ભાગથી પીળાશ પાનમાં આગળ વધે છે. ભેજવાળા વાતાવરણમાં પાનની નીચેની સપાટીએ સફેદ પાવડર જેવા બીજ (સ્પોરેન્જીયા) બને છે. વધુમાં પાનની ઉપરની સપાટી પર પણ સફેદ પાઉડર બને છે. ઘણી વાર છોડની ફૂટ વધે છે. જેનાથી છોડ સાવરણી જેવો લાગે છે. છોડ દૂરથી પીળો અને કદમાં નાનો રહે છે. રોગનો ઉપદ્રવ વધતા છેવટે પાન સુકાય જાય છે. ઘણી વખત છોડ મરી પણ જાય છે. (ખ) ડુંડા અવસ્થા : બાજરામાં ડુંડા આવે ત્યારે દાણા ન બેસતા, નાના વાંકડિયા તેમજ સહેજ લાંબા ગોળ લીલા પાન જેવી ફૂટ નીકળે છે. આવી ફૂટને કારણે ડુંડાનો આકાર સાવરણી જેવો દેખાય છે. આમ ડુંડાનાં સંપૂર્ણ અથવા અડધા ભાગમાં દાણા બેસતા નથી અને ગોળ વાંકડિયા પાન જેવી લીલી ફૂટ જોવા મળે છે. જેથી રોગીષ્ટ ખેતરમાં દાણાનું ઉત્પાદન ઘટે છે.
પ્રશ્ન-૩૬: કુતુલ રોગના લક્ષણો વિષે માહિતી જણાવશોજ ?
બાજરો