પ્રશ્ન-૨૭:ચોમાસા કરતાં ઉનાળુ ઋતુમાં સંકર બાજરાના બીજનું ઉત્પાદન વઘુ અને ગુણવત્તાયુક્ત મળે છે તેના કારણો જણાવો ?
સામાન્ય રીતે ચોમાસુ ઋતુની સરખામણીએ ઉનાળુ ઋતુમાં સંકર બાજરા બીજનું ઉત્પાદન લગભગ બે ગણુ મળે છે એટલે કે ડબલ મળે છે. કારણ કે બીજ ઉત્પાદન પ્લોટમાં ઉનાળુ ઋતુમાં ખેતી કાર્યો જેવા કે ખેડ, ખાતર, નિંદામણ, છોડની પારવણી, આંતરખેડ, પિયત, રોગીંગની કામગીરી, કાપણી, થ્રેસીંગ વગેરે કાર્યો જરૂરીયાત મુજબ અને સમયસર કરી શકાય છે તેમજ ઉનાળામાં વાતાવરણના સાનુકુળ પરિબળોને કારણે ચોમાસા કરતાં પ્રમાણમાં રોગ-જીવાતોનો ઉપદ્રવ નહિવત/ઓછો રહેતો હોય છે. તેમજ ઉનાળામાં વરસાદ ન આવતો હોવાથી ફુલકાળ સમયે ડૂંડામાંથી પરાગરજ ઘોવાઇ ન જતી હોવાને કારણે ઉનાળુ ઋતુમાં સંકર બાજરાના બીજનું ઉત્પાદન વઘુ અને ગુણવત્તાયુક્ત મળે છે. તેથી મોટા ભાગના ખેડૂતો બાજરાનો બીજ ઉત્પાદન પ્રોગ્રામ ઉનાળુ ઋતુમાં લેતાં હોય છે.
બાજરો