પ્રશ્ન-૨૩: બાજરાના પાકમાં પિયત કેટલા આપવા અને ક્યારે આપવા તે જણાવશોજી ?

ચોમાસુ બાજરામાં સામાન્ય રીતે પિયતની ભલામણ કરવામાં આવતી નથી કારણકે મુખ્યત્વે વરસાદ આઘારીત પાક છે. પરંતુ વરસાદની ખેંચ જણાય તો એક યા બે જરૂર મુજબ પિયત આપી, પાકનું વઘુ ઉત્પાદન મેળવી શકાય છે. ઉનાળામાં બાજરાના પાકને સામાન્ય રીતે કુલ ૮ થી ૧૦ પિયતની જરૂર પડે છે. દરેક પિયત ૮ થી ૧૦ દિવસનાં અંતરે જરૂર રહે છે. આમ છતાં પિયતની સંખ્યા અને બે પિયત વચ્ચેનો સમયગાળો એ જમીનના પ્રકાર અને સ્થાનીક ખેતી પઘ્ઘતી ઉપર આઘાર રાખે છે. બાજરાનાં પાકમાં અંકુર અવસ્થા, ફુટ અવસ્થા, ફુલકાળ અવસ્થા, થુલી અવસ્થા અને દાણા ભરાવાની અવસ્થા એ કટોકટીની અવસ્થાઓ છે. તે વખતે પાકને પાણીની ખેંચ ન પડે તેની ખાસ કાળજી રાખવી. જ્યારે સેમી-રબી ઋતુમાં બાજરામાં કુલ ૬ થી ૮ પિયત અને દરેક પિયત ૧૦ થી ૧૨ દિવસનાં અંતરે આપવાની ભલામણ કરવામાં આવેલ છે.

બાજરો