બાજરો એ ગુજરાત રાજ્યનો અગત્યનો ઘાન્ય પાક છે. લોકો બાજરાના રોટલા બનાવી ખાવામાં ઉપયોગ કરે છે. બાજરો એ પ્રોટીન અને ફાઈબરનો ઉત્તમ સ્રોત છે. તેમજ ગ્લુટેન મુક્ત હોવાથી, તે સેલિઆક રોગથી પીડિત લોકોને માટે ફાયદાકારક છે. બાજરાના દાણામાં રહેલ પોટેશિયમ અને મેગ્નેશિયમ બ્લડ પ્રેશર ઘટાડવામાં અને હૃદય અને રક્તવાહિનીના આરોગ્યને જાળવવામાં મદદ કરે છે. બાજરાના દાણામાં ફાયટીક એસિડ અને નિયાસિન પણ ભરપુર હોય છે જે કોલેસ્ટરોલનું સ્તર ઘટાડવામાં મદદ કરે છે. બાજરામાં સારી ગુણવતા ધરાવતા રેષાનું પ્રમાણ વધારે અને ખાંડનું પ્રમાણ ઓછું હોવાથી ડાયાબિટીઝના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. બાજરાના દાણામાં કેલરી તેમજ વિટામિન્સ, ખનિજો અને એમિનો એસિડ ખૂબ સારા પ્રમાણમાં હોવાથી તે બાળકો અને સગર્ભા સ્ત્રીઓ માટે એક ‘અજાયબી’ જેવુ કામ કરે છે. વળી, બાજરાનું લીલુ તેમજ સુકું ડાંડર ઢોરના ચારા માટે પણ ઉપયોગી છે.
પ્રશ્ન-૩: બાજરા પાકનું મહત્વ/ ઉપયોગીતા શુ શુ છે તે જણાવશો ?
બાજરો