જવાબ: સગર્ભાવસ્થા એટલે કે જીવાત્માની ગર્ભમાં રહેવાની પરિસ્થિતિ. આ એક એવી પરિસ્થિતિ છે જેનું નિર્માણ વેતરમાં આવેલ ગાય/ભેંસને યોગ્ય સમયે સાંઢ/પાડા જોડે ફળું કરાવવાની અથવા યોગ્ય સમયે બીજદાન કરાવવાથી – માદા પશુના ગર્ભાશયની અંદર સ્ત્રીબીજ તથા શુક્રાણુંના ફલીનીકરણને અંતે ઉત્પન્ન થયેલ ભૃણનું ગર્ભપ્રત્યારોપણ, સગર્ભાવસ્થા દરમ્યાન ગર્ભને પોષણ તથા રક્ષણ આપવાનું અને સગર્ભાવસ્થાના અંતે ગર્ભના પ્રસવ થવા સુધીના સમગ્ર તબક્કાને પશુની સગર્ભાવસ્થા કહે છે.
નફાકારક પશુપાલન તથા પશુનું દૂધ ઉત્પાદન સતત જળવાઈ રહે ટે માટે પશુનું દર વર્ષે વિયાણ થવું જરૂરી છે.
પશુ ગાભણ થયેલ છે આ સમાચાર સાંભળી દરેક પશુમાલિકના ચહેરા પર હર્ષની લાગણી ઉભરાઈ આવે છે. પરંતુ પશુમાલિક પોતાના પશુની સગર્ભાવસ્થા દરમ્યાન ગર્ભસ્થ પશુની યોગ્ય કાળજી ન રાખવામાં આવે તો સગર્ભાવસ્થા દરમ્યાન યોનીભ્રંશ, પ્રસવ પછીનો યોનીભ્રંશ, ગર્ભની વિકૃતિ, આસાન સને સ્થિતિની અસમાનતાઓને લીધે થયેલ કઠીન પ્રસવ, ગર્ભપાત, ઓર અવરોધન, ગર્ભાશયની આંટીના લીધે બચ્ચાના જન્મમાં અવરોધ, રાક્ષસી ગર્ભ જેવી પરિસ્થિતિઓનું નિર્માણ થતું હોય છે અને ઘણા કિસ્સાઓમાં બચ્ચું તથા માદા પશુ બંનેને ગુમાવવાનો વારો પશુમાલિકને આવે છે આમ, પશુ ગાભણ થવાથી જેના હર્ષની લાગણી પશુમાલિકના મનમાં ઉદભવી હતી તે કષ્ટદાયક વિયાણના કારણે દુઃખમાં પરિણમે છે માટે ગાભણ પશુની સગર્ભાવસ્થા દરમ્યાન ખુબ જ કાળજી લેવી જરૂરી છે. આ માટે દરેક પશુપાલક મિત્રોને સગર્ભાવસ્થાના જુદા-જુદા તબક્કા, વિયાણની પ્રક્રિયા, કષ્ટદાયક વિયાણ માટેના જવાબદાર કારણો અને તેના ઉપાયો વિશે આંશિક માહિતી હોવી જરૂરી છે.
પશુઓની સગર્ભાવસ્થાના જુદા-જુદા તબક્કા, વિયાણ એ કષ્ટદાયક વિયાણ માટેના જવાબદાર કારણો અને તેના ઉપાયો.
ભેંસ