કૃત્રિમ બીજદાનના ફાયદાઓ કયા કયા છે ?

જવાબ: 1. ઊંચી ગુણવત્તાવાળા તથા શુદ્ધ ઓલાદના પશુ મેળવી શકાય છે.
2. સારી ગુણવત્તાવાળા સાંઢ/પાડા દ્વારા એક કુદરતી સેવા મારફત એક ગાય/ ભેંસ ફાલુ થાય છે. જ્યારે કૃત્રિમ બીજદાનથી તેટલા જ વીર્યથી ૭૦ થી ૮૦
3. ગાય/ભેંસ ફાલુ કરી શકાય છે.
4. પશુઓના જાતીય રોગો ઉપર અંકુશ મેળવી શકાય છે.
5. સાંઢ-પાડાનું સંતતિ પરીક્ષણ કાર્ય સરળ બની શકે છે.
6. ઉત્તમ આનુવંશિક ગુણો ધરાવતા સાંઢ/પાડાની તંગી નિવારી શકાય છે.
7. ઓછા સાંઢ-પાડાની જરૂરિયાત રહેતી હોઈ નિભાવ ખર્ચ ઘટાડી શકાય છે.
8. બીજદાન સમયે માદા જનન અવયવોનું પરીક્ષણ થઈ શકે છે.
9. નર અને માદા પશુના કદની અસમાનતાનો પ્રશ્ન દૂર કરી શકાય છે.
10. ઊંચી ઓલાદના શારીરિક ખોડ ખાંપણવાળા અપંગ પશુઓનું પણ સંવર્ધન શક્ય બને છે.
11. ચંચળ પશુઓ કુદરતી સમાગમમાં સહકાર આપતા ન હોય, તેમનું સંવર્ધન શક્ય બને છે.

ભેંસ