ગાયો અને ભેંસોના સંવર્ધન માટે આપણા રાજ્યમાં કઈ-કઈ સંસ્થાઓ કામ કરે છે?

જવાબ: ગાયો તેમજ ભેંસોના સંર્વધન માટે આપણા રાજયમાં અનેક સંસ્થાઓ જેવી કે,ગુજરાત લાઈવ સ્ટોક ડેવલોપમેન્ટ બોર્ડ,ભારતીય એગ્રો ઈન્ડસ્ટ્રીઝ ફાઉન્ડેશન(બાયફ),જે.કે.ટ્રસ્ટ,૧૩ જેટલા જુદા જુદા જિલ્લાના સહકારી ડેરી દ્વારા થીજવેલ બીજદાનથી ગાય–ભેંસમાં કુત્રિમ બીજદાનથી પશુ સંર્વઘન કાર્યક્રમ ચલાવવામાં આવે છે.જેની સામે આપણા રાજયમાં ૪ સરકારી અને ૩ બિન સરકારી થીજવેલ બીજદાન ના ઉત્પાદન માટેના કેન્દ્વો આવેલા છે.જે પોતાના કેન્દ્વમાં ઉચ્ચ આનુવંશીક ગુણો ધરાવતા જુદી જુદી જાતીના નર અને માદા પશુઓને રાખી સરકારશ્રીનામિનિમમ સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ તથા આઈ.એસ.ઓ.–૯૦૦રની માર્ગદર્શીકા પ્રમાણેના ધારા–ધોરણને અનુસરી વીર્ય ડોઝ બનાવતા હોય છે અને જુદી જુદી સંસ્થાઓને પશુ સંર્વધન માટે પહોંચાડતા હોય છે.

ભેંસ