આઉનો સોજો રોગને કેવી રીતે આટકાવી શકાય?

આ રોગ થતાં પહેલા રોગ ઉપર અંકુશ રાખવો ખૂબ જ જરૂરી છે અને તે માટે નીચેના સૂચનોનો અમલ કરવો જરૂર છે.
1. આઉ ને આંચળને કોઈ રીતે જખમ ઈજા ન થાય તેની કાળજી લેવી.
2. પશુઓને બાંધવાનીજગ્યા સાફ રાખવી.
3. આંચળને દોહતા પહેલા તેના પર ચોટેલ છાણ, માટી ધોઈ નાંખવા
4. આંચળ અને આઉને મંદ જંતુનાશક રસાયણવાળા પાણીથી સાફ કરી સ્વચ્ચ્છ કપડાં વડે કોરા કરી દૂધ દોહવું
5. દરેક વખતે જંતુનાશક રસાયણવાળા પાણીથી હાથ સાફ કરી કોરા કરવા જરૂરી છે. આ સાફસૂફી માટે પોટેશ્યિમ પરમેગેનેટ દવાનું આછું ગુલાબી પાણી, સેવલોન (૧ ભાગ સેવલોન પ૦૦ ભાગ પાણી) વાપરવા.
6. ખરાબ દૂધ ભોયતળિયા પર ન નાખતા તેનો યોગ્ય નિકાલ કરવો.
7. રોગવાળા જાનવરને છેલ્લે દોહવું અને દૂધને વપરાશમાં લેવું નહિ.
8. નિયમિત રીતે દરેક પશુના દૂધની તપાસ અને પરીક્ષણ કરતંા રહેવું હિતાવહ છે
9. દૂધ દોહવામાં નિપુણતા કેળવવી જરૂરી છે.
10. દૂધ દોહયા બાદ આંચળને મંદ જંતુનાશક દવાવાળા પાણીમાં ડુબાડવા.
11. જયાં મશીનથી જાનવરો દોહવામાં અવો છે ત્યાં દૂધ દોહવાના મશીનનો યોગ્ય રીતે ઉપયોગ કરવો અને મશીનને વ્યવસ્થિત સાફ કરવું
12. આંચળમાં વસુકાતા પહેલા દવા ચઢાવવી જેથી કરીને વસુકાયેલા કાળ દરમ્યાન ચેપ લાગતો નથી. આમ, આ રોગમંા થોડી વિશેષ કાળજી લેવાથી રોગને અટકાવી શકાય છે. અને દૂધ ઉત્પાદનની ખોટ નિવારી શકાય છે અને પશુપાલકોને થતું આર્થિક નુકશાન ધટાડી શકાય છે.

ભેંસ