આ એક ખૂબ અગત્યનો મુદ્દો છે કારણકે જો પ્રયોગશાળા નિદાન માટે દૂધના નમુનાઓ યોગ્ય રીતે લેવામાં ન આવે તો પરિણામ ખોટું આવે અને સારવાર પણ ખોટી થાય અને અંતે મસ્ટાઈટીસને મટાડી શકાતો નથી. પ્રયોગશાળા નિદાન માટે દૂધના નમુનાઓ યોગ્ય રીતે લેવા માટે કેટલાક મુદ્દાઓમાં ખૂબ ધ્યાન આપવું જરૂરી છે જેવાકે,
1. આઉને વ્યવસ્થિત સાબુથી ધોવું
2. સૂકા અને સ્વચ્છ કપડાથી સાફ કરવું
3. દૂધની શરૂઆતની બે-ત્રણ ધાર નમુનાના ઉપયોગ માં ન લેવી
4. ત્યારબાદ નું પાંચ એમએલ જેટલું દૂધ એક જીવાણુરહિત શીશી (સ્ટરીલાઈજ્ડ કન્ટેનર) માં લેવું, આવી જીવાણુરહિત શીશી મેડિકલ સ્ટોર પર પણ મળી શકે અથવાતો આપના ઘરે કોઈ કાચ ની નાની શીશી હોય તો શીશી અને તેના ઢાંકણ બંને ને સાબુથી વ્યવસ્થિત ધોઈ અને ગરમ પાણી માં ઉકાળવી અને ત્યારબાદ સૂકવી અને આગાવ જણાવ્યા મુજબ દૂધનો નમૂનો લેવો
5. નમૂનો લીધા બાદ શીશીને ખોલવી નહીં અને શીશીમાથી દૂધ લીક ન થવું જોઈએ તથા શીશીનું ઢાંકણ ઢીલું હોયતો તેને પેક કરવા માટે પ્લાસ્ટિક કે આની વસ્તુનો ક્યારેય ઉપયોગ કરવો નહીં પરંતુ બીજી શીશી નો ઉપયોગ કરવો
6. જેટલા આંચળમાં તકલીફ હોય તે દરેક આંચળનું દૂધ અલગ અલગ શીશીમાં એકત્રિત કરવું
7. શીશીના અંદરના ભાગમાં કોઈ કચરો આવવો ન જોઈએ તથા શીશીના અંદરના ભાગમાં આંગળી કે અન્ય કોઈ વસ્તુ નો સ્પર્શ થવો જોઈએ નહીં
8. દૂધના નમુનાઓ બને તેટલા જડપથી લબોરેટરીમાં મોકલવા અને જો લેબોરેટરી દૂર હોય તો નમુનાઓને બરફમાં રાખી ને લઈ જવા
9. દૂધના આવા નમૂનાઓના પરીક્ષણ દરેક જીલ્લામાં આવેલી પશુપાલન ખાતાની પ્રયોગશાળામાં અને પશુચિકિત્સા મહાવિધ્યાલયમાં પણ કરાવી શકાય. જેની માહિતી આપના વિસ્તારના પશુ ચિકિત્સક પાસેથી મળી રહે
4. મસ્ટાઈટીસના પ્રયોગશાળા નિદાન માટે દૂધના નમુનાઓ લેવા માટે શું કાળજી રાખવી જોઈએ?
ભેંસ