મસ્ટાઈટીસની નિદાન અને સારવાર કઈ રીતે કરી શકાય?

મસ્ટાઈટીસ થાય તો અગાવ જણાવેલ ચિન્હો પરથી પશુપાલકને પણ ખ્યાલ આવી જાય અને જેમ આપણે વાત કરી કે મોટાભાગે આ રોગ અનેક પ્રકારના જીવાણુઓ (બેક્ટેરિયા)ના ચેપથી થાય છે, તો ડોક્ટરની સલાહ મુજબ યોગ્ય એંટીબાયોટીક અને સોજો ઉતારવાની દવાઓથી સારવાર કરી શકાય પરંતુ કેટલીક વાર અમુક એંટીબાયોટીક અમુક પ્રકારના જીવાણુઓ પર અસર નથી કરતી અને જો આવી એંટીબાયોટીકથી સારવાર કરવામાં આવે તો તેનું યોગ્ય પરિણામ મળતું નથી આથી આવા કિસ્સાઓ માં દૂધનું પ્રયોગશાળામાં પરીક્ષણ (લેબોરેટરી ટેસ્ટિંગ) કરાવવું આવશ્યક બને છે. જેનાથી ક્યાં બેક્ટેરિયા છે અને તેની સારવાર કઈ એંટીબાયોટીકથી કરી શકાય તે જાની શકાય. આવા લેબોરેટરી પરીક્ષણ માટે ત્રણ દિવસ લાગતાં હોય છે તો પશુપાલકોએ પશુમાં મસ્ટાઈટીસની જાણ થાય કે તુરંત જ ડોક્ટરની સલાહ મુજબ સારવાર શરૂ કરવી જોઇએ તથા જરૂર જણાયે પ્રયોગશાળામાં દૂધનો નમૂનો મોકલવો અને તેનું પરિણામ આવે ત્યાં સુધી ડોક્ટરની સલાહ મુજબ સારવાર ચાલુ રાખવી.
જો સારવારમાં મોડુ થાય તો ઘણા કિસ્સાઓમાં એવું પણ થાય કે દુશગ્રંથિઓમાં વધુ પડતાં સોજાને કારણે આઉ કઠણ થાય અને કાયમી ધોરણે એ આંચળમાથી દુધ આવતું બંધ થઈ જાય. આ ઉપરાંત જેમ અગાવ ચર્ચા કરી તે મુજબ જો આંચળ ઠંડા જણાય અને આઉની ચામડી પર કાપા જણાય એટલેક કે ગેન્ગ્રીન થયેલું જણાય તો શસ્ત્રક્રિયા એટલેકે સર્જરિ પણ કરાવવી પડે અને આવું ના કરીયે તો ઝેર શરીરમાં ફેલાય જવાથી પશુનું મૃત્યુ પણ થઈ શકે.

ભેંસ