વિયાણ વખતે શું કાળજી લેવી?
1. વિયાણ વખતે ગાય/ભેંસ ચૂકાવાનું શરૂ કરે તેના ૨ કલાકમાં મૂત્રાશય પર મોટો પરપોટો બહાર દેખાય જે ફૂટી ગયા બાદ નવજાત બચ્ચાની ખરીઓ દેખાય છે. જો પરપોટો ફૂટી ગયા બાદ લાંબા સમય સુધી ખરીઓ બહાર ન આવે તો બચ્ચુ આડુ હોવાની શક્યતા હોય તાત્કાલિક પશુ ચિકિત્સકનો સંપર્ક કરવો.
2. વિયાણ પછી પશુઓમાં મેલી પડવી નહીં, માટી ખસી જવી, બાવલાનો સોજો, સુવારોગ, કીટોસીસ, ગર્ભાશયનો બગાડ વગેરે જેવા રોગો થવાની શક્યતા હોય છે. તેથી આવા રોગો ન થાય તે માટે નજીકમાં આવેલ પશુ દવાખાનાના પશુ દાક્તરની સલાહ લેવી.
ભેંસ