કેવા પશુઓની તપાસ પશુ ડોક્ટર પાસે કરાવવી ?

1. ફેળવેલ પશુઓને દોઢ બે મહિને ગર્ભાવસ્થાની તપાસ માટે.
2. વિયાણ બાદ ૬૦-૭૦ દિવસે પણ વેતરે ન આવતી ગાય-ભેંસોની તપાસ માટે.
3. બિલકુલ વેતરે ન આવતી હોય તેવી ગાય/ભેંસો કે પુખ્ત વાછરડી/પાડીઑની તપસ માટે.
4. અનિયમિત વેતર દર્શાવતા પશુઓની તપાસ માટે.
5. વારંવાર (ત્રણ-ચાર વખત ) ફેળવવા છતાં ગાભણ ન થતાં પશુઓની તપાસ માટે.
6. ગર્ભપાત થઈ ગયેલ પશુઓની તપાસ માટે.
7. વિયાણ બાદ મેલી પડતી ન હોય કે માટી ખસી ગઈ હોય તેવા પશુઓની તપાસ પશુ ડોક્ટર પાસે આવશ્ય કરાવવી જોઈએ.

ભેંસ