દૂધમાં એન્ટીબાયોટીકના અવશેષોની હાજરી ઘણા કારણોસર નિંદનીય છે. ત્રીસ વર્ષ પહેલાં, ચીઝ અને દહીંની બનાવટો માટે જીવાણુઓના ઉછેરમાં એન્ટીબાયોટીકના અવશેષોના લીધે થતી સમસ્યા ઇ ઉત્પાદકીય સમસ્યા ગણાતી. વર્તમાન સમયમાં, ખોરાક માં એન્ટીબાયોટીક ની હાજરી અમાન્ય છે. શરૂઆતમાં, લોક-આરોગ્ય અધિકારીઓએ સંવેદનશીલ લોકોનું રક્ષણ કરવાની નીતિ અખત્યાર કરી, પરંતુ તાજેતરના સંશોધનો આના કરતાં જીવાણુઓમાં ઉદભવતી પ્રતિકારશક્તિ વધુ મહત્વની ચિંતા છે, તેમ દર્શાવે છે. એલેર્જી અને β-લેકટામ દવાઓ પ્રત્યેની અતિ-સંવેદાનશીલતા વિખ્યાત છે. અન્ય દવાઓના રોગ્પ્રતિકારક ગુણધર્મો તેમના સૂક્ષ્મ અવશેષોનો પ્રભાવ ઓછો કરે છે. મુખ માર્ગે આપવામાં આવતી દવાઓ અન્ય માર્ગે આપવામાં આવતી દવાઓ કરતાં, રોગ પ્રતિકારક શક્તિ પર ઓછી માઠી અસર કરે છે. મોટા ભાગની દૂધની બનાવટો પાશ્ચરાઇઝ્ડ દૂધમાંથી જ બને છે. પાશ્ચરાઇઝેશનની પરંપરાગત પદ્ધતિઓ જીવાણુઓની સંખ્યામાં મહદઅંશે ઘટાડો કરે છે, પરંતુ, એન્ટીબાયોટીક્સ પર કોઈ જ અસર કરતું નથી. દુધાળ પશુઓમાં વધુ પડતો અને અનિયંત્રિત એન્ટીબાયોટીકનો વપરાશ જીવાણુઓમાં તેના પ્રત્યે પ્રતિકાર ઉત્પન્ન કરવામાં ચાવીરૂપ છે.
વર્તમાન પરિસ્થિતિ શુ છે?
ગાય