ખોરાકમાં રહેલ એન્ટીબાયોટીકના અવશેષો બે રીતે ચિંતાનો વિષય છે: પહેલું, તેઓ આથાવાળી બનાવટોમાં લેકટીક ઍસિડના આથવણને બગાડે છે, અને તેમાં સ્ટેફાઈલોકોકસ નામના જીવાણુઓનો વિકાસ થવાની સંભાવના રહે છે. આવું દૂધ દૂધમાં આથો લાવીને બનાવવામાં આવતી બનાવટોમાં ઘટાડો કરે છે. દાખલા તરીકે, જીવાણુઓ દ્વારા લાવવામાં આવતો આથો, જેના થકી ચીઝ, દહીં, પનીર જેવી દૂધની બનાવટો બને છે, તેમાં આ દવાઓની હાજરીના લીધે આથો આવતો નથી. સામાન્ય રીતે જોવા મળતી સમસ્યાઓ આ છે: અ) અસમાન્ય દહીં જામવું અને ચીઝનું અપૂરતું પાકવું. બ) દહીં અને ચીઝમાં અસમાન્ય વાસ ક) શરૂઆતી જીવાણુના ઉછેરમાં આવતી સમસ્યાઓ અને તેના વડે થતી ગુણવત્તા નિયમનની તકલીફો.
બીજું, આવા દૂધનું સેવન અશુદ્ધિઓ પ્રત્યે સંવેદનશીલ મનુષ્યોમાં એલેર્જી પેદા કરે છે. એન્ટીબાયોટીકના અવશેષોના સેવનના સંભવત: ખતરાઓમાં એલેર્જી, પાચનમાં તકલીફ, અને આંતરડાના ઉપયોગી સૂક્ષ્મજીવોના જીવન પર ખતરો સામેલ છે. જ્યારે શરીરની રોગપ્રતિકારક શક્તિ આવા એન્ટીબાયોટીક પર હુમલો કરે છે, ત્યારે એલેર્જી પેદા થાય છે. સંવેદનશીલ મનુષ્યોમાં ખૂબ જ ઓછી માત્રામાં રહેલ એન્ટીબાયોટીક પણ ઘણી ખરાબ અસરો દર્શાવી શકે છે. પેનિસિલીન તેમાં મુખ્ય છે, તે લેકટીક ઍસિડ જીવાણુઓનો વિકાસ અટકાવે છે, જે સંવેદનશીલ મનુષ્યોમાં એનફાઈલેકટીક આઘાત પેદા કરે છે. એવું સૂચિત કરવામાં આવેલ છે કે ૦.૦૫ IU/ml ની દૂધમાં હાજરી ઘણી વધારે છે અને સુરક્ષાની ખાતરી આપતું નથી.
કેમ એન્ટીબાયોટીકના અવશેષો એ ચિંતાનો વિષય છે?
ગાય