દુધાળ પશુઓ, જેઓનો એન્ટીબાયોટીક વડે ઉપચાર કરવામાં આવેલ હોય, તેઓ સારવાર બાદ પણ અમુક સમયગાળા માટે જે દૂધ પેદા કરે છે, તેમાં એન્ટીબાયોટીકના અવશેષો જોવા મળે છે. આથી સારવાર પામેલા પશુઓનું દૂધ અમુક સમય માટે સ્વસ્થ પશુના દૂધ ના જથ્થામાં સામેલ ન કરવું હિતાવહ છે, જેથી કરીને એન્ટીબાયોટીકના અવશેષો દૂધમાં ભળે નહીં. એન્ટીબાયોટીક દૂધમાં ત્યારે ભળે છે, જ્યારે પશુને સારવાર બાદ નિર્દેશિત સમય કરતાં વહેલા દૂધ વાપરવામાં આવે અથવા, પશુના શરીરમાં આ એન્ટીબાયોટીક ધાર્યા કરતાં લાંબા સમય સુધી ટકી રહે.
દૂધમાં એન્ટીબાયોટીકના અવશેષોની હાનિકારકઅસરો:
અ) સંવેદનશીલ લોકોમાં એલેર્જીક લક્ષણો
બ) દૂધ ઉત્પાદનોનો બગાડ
ક) હાડકા અને કાન ને લગતી સમસ્યાઓ થવી
ડ) શરીર ના અન્ય ભાગો પર પણ અમુક દવાઓની વિપરીત અસર જોવા મળે છે.
ક) લોકોનો દૂધ પર નો વિશ્વાસ ઉઠી જાય છે.
આ દરેક વસ્તુ ડેરી ઉદ્યોગ માટે ચિંતાનો વિષય છે.
આ અવશેષો ની શુ હાનીકારક અસરો છે?
ગાય