આ અવશેષો શુ નુકસાન કરે છે?
માનવ આરોગ્યને ધ્યાનમાં રાખતા, પ્રાણીજન્ય ખાદ્ય પદાર્થોમાં એન્ટીબાયોટીકના અવશેષો માનવહિત પર સંભવિત ખતરારૂપ છે, અને ઓછા પ્રમાણમાં થતો એન્ટીબાયોટીકનો સંપર્ક, જીવાણુઓ માં જે તે દવા પ્રત્યે પ્રતિકાર શક્તિ પેદા કરે છે, આમ થવાથી, બીમાર મનુષ્યમાં ઉપચાર માટે આપવામાં આવતી દવાઓ તેમની અસર બરાબર રીતે દાખવી શકતી નથી. એન્ટીબાયોટીકની અસરો સામે લોક-આરોગ્યની જાળવણી એ એક અગમચેતીનું પગલું છે. સુરક્ષિત અને ગુણવત્તાસભર દૂધનું ઉત્પાદન કરવું એ લોક આરોગ્યનું ચાવીરૂપ પાસું છે.
ગાય