દૂધ માં એન્ટીબાયોટીક અવશેષ એટલે શુ?

આજના યુગમાં, જીવનધોરણમાં આવેલા આમૂલ પરિવર્તનની સાથે, લોકો દૂધ અને તેની બનાવટોની ગુણવત્તા ઉપર ધ્યાન આપતા થયા છે. જેથી કરીને, આ બનાવટોને જનતા માટે ઉપલબ્ધ કરાવતા પહેલાં અનેક ગુણવત્તા અને પ્રમાણની કસોટીઓ માંથી પસાર થવું પડે છે. વિવિધ આરોગ્ય પર અસર કરતી ઘટનાઓ સૂચિત કરે છે કે ખાદ્ય-સુરક્ષા ને લગતા નિરીક્ષણો, જેવા કે દવાઓના અવશેષો, સ્ટાર્ચ, ગંદુ પાણી, સાબુ, અને અન્ય ઝેરી રસાયણો ની જાણકારી વધારવી જોઈએ. શક્ય એટલી વિવિધ અશુદ્ધિઓ, જે પ્રાણીજન્ય ખોરાકમાં થી મળી શકે તેમ છે, તે સૌમાં એન્ટીબાયોટીકના અવશેષો પ્રમુખ સ્થાન ધરાવે છે, કારણ કે પ્રાણીઓની તન્દુરસ્તી માટે તેમનો ઉપયોગ બહોળા પ્રમાણમાં કરવામાં આવે છે. વિવિધ જીવાણુનાશક રસાયણો અને દવાઓ પ્રાણીઓની તન્દુરસ્તીને સાચવવા તથા વધારવા માટે વાપરવામાં આવે છે. જો કે, આ દવાઓનો દૂધમાં થતો સ્ત્રાવ, તાજા દૂધની ગુણવત્તા પર અસર કરે છે.

ગાય