આ રોગ પશુ થી પશુ મા તથા પશુ થી મનુષ્યો મા કઈ રીતે ફેલાઈ છે?

1. પશુઑમા આ રોગ નો ફેલાવો જીવાણુ યુક્ત ખોરાક તથા પાણી નો ઉપયોગ કરવાથી થાઈ છે.
2. ગર્ભપાત થયેલ ગર્ભ તથા તેની સાથે નીકળેલ મેલી નો ભાગ જ્યારે ખોરાક તથા પાણી ના સંમ્પર્ક મા આવે ત્યારે તે ચેપી બને છે અને રોગ ફેલાવે છે.
3. કુતરા, ઉંદરો તથા પક્ષી (કાગડા) ઑ પણ ગર્ભપાત થયેલ ગર્ભ અને મેલી ને એક સ્થળે થી બીજા સ્થળે લઈજઈ ને રોગ નો ફેલાવો કરે છે.
4. રોગ ગ્રસ્ત પશુઓ ને દોહવાણ કરતા ગોવાળો દ્વારા પણ આ રોગ ના ચેપ નો ફેલાવો એક પશુથી બીજા પશુ ની અંદર અથવા દોવણ કરતા વ્યક્તીઑ મા થાય છે.
5. મનુષ્યો ની અંદર, આ રોગ જીવાણુ યુક્ત ખોરાક તથા પાણી નો ઉપયોગ કરવાથી થાય છે.
6. રોગ ગ્રસ્ત પશુઑ ના દુધ મા પણ આ રોગ ના જીવાણુ રહેલા હોય છે, જેથી આવૂ કાચુ (ઉકાડ્ય વગર) દુધ પીવાથી આ રોગ થવાની શક્યતાઑ રહેલી છે.
7. આ રોગ, ચેપ ગ્રસ્ત દુધ માંથી બનેલ ડેરી ની વસ્તુ જેમ કે, દહી, ચીજ, પનીર જેવી વસ્તુઑ ખાવા થી પણ આ રોગ મનુષ્યો ની અંદર થવાની શક્યતાઑ રહેલી છે.
8. કાચા શાકભાજી, કે જેઓને ચેપ ગ્રસ્ત ફાર્મ માંથી લાવેલ ખાતર નાખીને ઉગાળવામા આવેલ હોય તેનુ સેવન કરવાથી પણ આ રોગ થવાની શક્યતા રહેલી છે.
9. આ રોગ ના જીવાણુઑ આંખ તથા વાગેલ ધા ના સંમ્પર્ક મા આવવાથી પણ મનુષ્ય ના શરીર મા જીવાણુ દાખલ થઈ ને આ રોગ ફેલાવે છે.
10. ચેપ ગ્રસ્ત ફાર્મ ની અંદર કામ કરતા મજુરો તથા અન્ય વ્યક્તિઑ ની અંદર આ રોગ સ્વાસો સ્વાસ થી જીવાણુ ભડેલ ધુળ શરીર મા જવાથી પણ આ રોગ નો ચેપ લાગવા ની સંભાવના રહેલી હોય છે.

ગાય