પશુને ઝેરી ( સર્પદંશ) જાનવર કરડે/ઝેર ચડે ત્યારે શુ કરવું?
ઝેરી સર્પદંશ થતાં પશુના મોઢામાંથી લાળ પડે, આંખની કીકી પહોળી થઇ જાય, દંશની જગ્યાએ સોજો આવે, શ્વાસ લેવામાં તકલીફ પડે,ધબકારા ધીમા થઇ જાય અને પશુનું મૃત્યુ થાય છે.ઝેરી સર્પદંશ ની જગ્યાએ વી આકાર બને છે. સારવાર માટે સર્પદંશની જગ્યાથી એક ઇંચ ઉપરના ભાગે રબરનો બેન્ડ/પટ્ટી બાંધવી જે વીસ મિનીટ બાદ ખોલી, એક થી બે મિનીટ રાખી, ફરીથી બાંધી દેવી જેથી ધમનીમાં રક્તનું પરિભ્રમણ ચાલુ રહે. તે દરમ્યાન પશુ ચિકિત્સક નો સંપર્ક કરી લેવો જે પશુને પોલીવેલેન્ટ સીરમ (૦.૨ યુનિટ પ્રતિ ૧૫૦ કિલો શરીર ના વજન પ્રમાણે) અને અન્ય જરૂરી દવાઓ જેવીકે નીઓસ્ટીગમીન, કોર્ટીઝોન આપશે.
ગાય