પશુઓમાં વિયાણ સમયે શુ કાળજી લેવી?

પશુઓમાં વિયાણ સમયે ખાસ કરીને બચ્ચું આડું હોય, ગર્ભાશયમાં આંટી પડી ગયેલ હોય અને પશુ પીડાતું હોય ત્યારે દેશી-વૈદું ન કરતાં પશુ ચિકિત્સકને બોલાવી લેવા હિતાવહ છે. ઘણી વખત બચ્ચાના પગ દેખાય ત્યારે પશુપાલક પગ ખેંચવાનું ચાલુ કરીદે છે પરિણામે બચ્ચાનું મુખ જો વળી ગયેલ હોય તેવા સંજોગોમાં પશુ હેરાન થાય અને બચ્ચું પણ ગુમાવવાનો સમય આવે છે.
-આ ઉપરાંત યોની/ગર્ભાશય ભ્રંશ દરમ્યાન યોની/ગર્ભાશયના બહાર આવેલા ભાગ ને સ્વચ્છ, ઠંડા પાણીથી ધોઈ,પશુનો પાછળનો ભાગ ઉંચો રાખવોજેથી વધુ ભ્રંશ થતો ઘટાડી શકાય આ માટે બહાર આવેલા ભાગઉપર લજ્જામણી નો રસ લગાડવો,લજ્જામણી ના પણ ખવડાવવાથી પણ ફાયદો થાય છે.
-વિયાયેલ પશુ માં મેલી સામાન્ય રીતે ચાર થી પાંચ કલાકમાં પડી જતી હોય છે તેમ છતાં ઘણી વખત મેલી પડવામાં વિલંબ થાય તેવા સંજોગોમાં ઓછામાં ઓછા બાર કલાક તો રાહ જોવી જ અને ત્યારબાદ મેલી પડાવવાનો આગ્રહ રાખવો.

ગાય