પશુઓમાં થતાં ઝાડાના ઈલાજ માટે શુ કરવું?
પશુઓમાં ખાસ કરીને નાણા બચ્ચા માં કૃમિ અથવા તો વધુ પડતું દૂધ પીવાથી ઝાડા થતાં હોય છે તેથી બચ્ચાને પ્રમાણસરનું દૂધ આપવું જોઈએ તેમજ કૃમિનાશક દવા જેવીકે આલ્બેંડાઝોલ, ફેન્બેંડાઝોલ ( ૫ મિગ્રા.પ્રતિ કિલો શરીરના વજન પ્રમાણે)-૧૫૦ મિગ્રા.ની એક ગોળી પ્રતિ માસ છ માસ સુધી ખવડાવવી. પુખ્ત પશુમાંપણ ઉપરોક્ત દવા શરીરના વજન પ્રમાણે કૃમિનાશક દવા આપી શકાય. ઝાડા માં સામાન્યતઃ શરીર માંથી પાણી ઓછું થઇ જતું હોવાથી પશુને પુષ્કળ પ્રમાણમાં પાણી પીવા માટે આપવું જોઈએ જેથી પશુમાં નીર્જલીકરણ થતું અટકાવી શકાય.
- બંધ કોશ ની સારવાર માટે ૨૫૦ ગ્રામ જેટલો મેગ્નેશિયમ સલ્ફેટ નો પાઉડર નવશેકાપાણીમાં ઓગળી,
નાળથી પીવડાવવાથી પશુને રાહત આપી શકાય છે.જે મેગ્નેશિયમ ની ઉણપ થીઓ થતી ધ્રૂજારી ના રોગ માં પણ ઉપયોગી નીવડે છે.
ગાય