સામાન્યતઃ વધુ પડતો લીલો ચારો/આહારજન્ય ક્ષતિને કારણે પશુને આફરો ચડતો હોય છે તેથી સૌપ્રથમ તો જયારે પશુને આફરો ચડે છે તેવું લાગે ત્યારે તાત્કાલિક તેને ખાવાનું આપવાનું બંધ કરવું. ત્યારબાદ ટરપેન્ટાઇન તેલ (૫૦ મિલી)ને ખાવાના તેલ (૫૦૦ મિલી)સાથે મિક્ષ કરી પીવડાવી દેવું.ત્યારબાદ પશુને દોડાવવું અથવા તો ઝડપ થી ચલાવવું. આ ઉપરાંત હિંગનો પણ આફરા માટે ઉપયોગ કરી શકાય.
આયુર્વેદિક દવાઓ જેવીકે બ્લોટોસીલ, બ્લોટોનીલ – ૧૦૦ મિલી પીવડાવી શકાય.વધુ પડતો આફરો ચડેલ હોય અને પશુ મરી જાય તેવી પરિસ્થિતિમાં પશુના ડાબા પડખામાં પેટના ત્રિકોણ વાળાભાગ પર દસ (૧૦) થી બાર (૧૨) ગેજની પોલી નીડલ થી કાણું પાડી , ગેસ કાઢી શકાય અને તે દરમ્યાન પશુ ચિકિત્સકને બોલાવી લેવા જોઈએ. જેથી વધુ નુંકશાન થતું અટકાવી શકાય.
વારંવાર આફરો ચડતો હોય તેવા કિસ્સામાં નીચે મુજબનું મિશ્રણ વાપરવું:
આદુ પાવડર-૩૦ ગ્રામ
હિંગ - ૩૦ ગ્રામ
અજમો - ૩૦ ગ્રામ
નક્ષ વોમિકા પાવડર -૪ ગ્રામ
ખાવાનું તેલ- ૫૦૦ મિલી
પશુને આફરો ચડે ત્યારે શુ કરવું?
ગાય