આંબામાં મધિયો અને ફુલભમરી અટકાવવા માટે શું કરવુ જોઈએ?

1. ચોમાસા દરમ્‍યાન મધિયાના પૂખ્‍ત તેની સુષુપ્‍ત અવસ્‍થામાં થડ કે ડાળીઓ ૫ર છાલની તીરાડમાં ભરાઈ રહે છે. ઓકટોબર મહિનામાં ઝાડની ડાળીઓ અને થડ ૫ર થાયોડીકાર્બ (ર૦ ગ્રામ/૧૦ લી. પાણી)નો છંટકાવ કરવો.
2. ઈમીડાકલોપ્રીડ ૧૭.૮ એસ.એલ. દવા ર.૮ મીલી પ્રતિ ૧૦ લીટર પાણીમાં ભેળવી મોર નીકળતી વખતે અને લીંબોળીના બીજનું ૫% દ્રાવણ કેરી સોપારી કદની થાય ત્‍યારે છંટકાવ કરવો.
3. સપ્‍ટેમ્‍બર-ઓકટોબર માસમાં નવી કુંપળો ફૂટે છે. નવા પાન આવતા થ્રીપ્‍સ, ડૂંખવેધક, આંબાનો મધિયો અને ગાંઠીયા માખીનો ઉ૫દ્રવ થાય છે. આ સમયે ફોસ્‍ફામીડોન ૦.૦૩% અથવા મિથાઈલ-ઓ-ડીમેટોન ૦.૦૩% પૈકી કોઈ૫ણ એક જંતુનાશક દવાનો છંટકાવ કરવો.