આદુનો મુખ્‍ય ઉપયોગ તથા વેચાણ વ્‍યવસ્‍થા અંગે માહિતી આપશો.

તાજા ખોદેલા લીલા આદુનો મુખ્‍ય ઉપયોગ ઘરગથ્‍થું વાનગીઓમાં થાય છે તથા બીજો ઉપયોગ હળવા પીણાઓમાં પણ થાય છે. આ પાકની ઔષધિય મૂલ્‍ય વધારે હોઈ લીલા તેમજ સૂકા આદુનો ઉપયોગ કફસિરપ અને શ્વાસને લગતા રોગોની દવાની બનાવટમાં થાય છે. ભારત, જાપાન, ચીન તથા ઘણા બીજા દેશોની અંદર આદુનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે.
બજાર વ્‍યવસ્‍થાની વાત કરીએ તો આપણે લીલા આદુનું સીધું વેચાણ લોકલ બજારમાં કરવું પડતું હોય છે તથા માર્કેટીંગ યાર્ડ ઉપરથી પણ આપણે વેચાણ કરી શકીએ છીએ તથા નિકાસ સાથે સંકળાયેલી સંસ્‍થાઓ જે આદુ તથા હળદરની નિકાસ બીજા દેશોમાં કરતી હોય તે નીચે મુજબ છે :
- નીલ એગ્રોટેક પ્રાઈવેટ લિ., અમદાવાદ
- વિકાસ એગ્રો એકઝીમ, લખનઉ (ઉતરપ્રદેશ)
- એસ.પી. માર્કેટીંગ, ગુવાહાટી (આસામ)
જે સારા તેમજ ઉચ્‍ચ ગુણવતાવાળા ઉત્પાદન જેમાં આદુ, હળદર તથા અન્‍ય મસાલા પાકોની નિકાસની કામગીરી સાથે સંકળાયેલ છે.