આદુ તથા હળદરની રોપણીની પઘ્‍ધતિઓ કઈ છે ?

આ બંને પાકોમાં ખાસ કરીને સપાટ કયારા, ગાદીકયારા કે નીકપાળા પઘ્‍ધતિથી ૩૦ સેમી બે હાર વચ્‍ચે તથા ૧પ સેમી બે છોડ વચ્‍ચે અંતર રાખીને રોપવા જોઈએ. કયારાઓની લંબાઈ જમીનના ઢાળ પ્રમાણે રાખવી જેથી પિયત યોગ્‍ય રીતે આપી શકાય. વધારે ઢાળવાળી જમીનમાં કયારાની લંબાઈ વધારે રાખવી. (અંદાજે ૩૦ થી ૩પ મી)