આજે જમીનની ફળદ્રુપતા બાબતે કઈ કઈ સમસ્યાઓ ઉભી થઈ છે?
આપણાં ખેડૂતો પાકને જરૂરી નાઈટ્રોજન તત્વ પુરૂં પાડવામાં રાસાયણિક ખાતરનો આડેધડ ઉપયોગ કરે છે, તેના લીધે જમીન અને પાણીના પ્રદુષણના પ્રશ્નો, રાસાયણિક ખાતરના વધતાં જતાં ભાવ, કાચા માલની તંગી, નબળી સંગ્રહ શકિત તથા ઉર્જાની વધતી જતી માંગ જેવી સમસ્યાઓનો ઉભી થઈ છે. તદૃઉપરાંત બગડતાં જતાં જમીનના ભેોતિક, રાસાયણિક અને જૈવિક ગુણધર્મોને લીધે જમીન આરોગ્યનો પ્રશ્ન અને પોષક તત્વો પુરાં પાડવા જમીનમાં ઉમેરવામાં આવતાં રાસાયણિક ખાતરો સામે પાક ઉત્પાદનમાં નબળો પ્રતિભાવ પડકારરૂપ છે.
જમીન વ્યવસ્થાપન