નાળીયેરીમા આવતા રોગ અને તેના નિયંત્રણ ના પગલા કઈ રીતે લઇ શકાય?

નાળીયેરીમા આવતા રોગ અને તેનું નિયંત્રણ:
અગ્રકલીકાનો સડો
નિયંત્રણ

(૧) રોગ લાગેલ ભાગને કાપીની નાશ કરવો અને કાટેલ ભાગ ઉપર બોર્ડોપેસ્ટ (૧૦૦ મિલી મોરાથુથું + ૧૦૦ મિલી કાલી ચૂનો + ૧૦ લીટર પાણી) લગાડવું. જો ચોમાસાની ઋતુ હોય તો લગાડેલ બોર્ડોપેસ્ટ ઉપર ઊંધું માટલું અથવા પ્લાસ્ટિક ઢાંકવું.

(૨) બગીચામાં તંદુરસ્ત ઝાડ પર આ રોગકારકો ચોમાસાની ઋતુ દરમ્યાન સક્રિય બનીને રોગ ફેલાવતા હોય છે. તે માટે રોગ ન લાગે તે પહેલા ૧ ટકા વાળુ બોર્ડો મિશ્રણ અથવા ૨ ટકા મેન્કોઝેબનું દ્રાવણ ૫ લીટર/ઝાડ પ્રમાણે વર્ષમાં ૬ વખત નીચે મુજબ છાંટવું. પ્રથમ વખત છંટકાવ ચોમાસા પહેલા (જુનમાં)

  • બીજો છંટકાવ પ્રથમ છંટકાવ બાદ બે માસે
  • ત્રીજો છંટકાવ બીજા છંટકાવ બાદ બે માસે
  • ચોથો, પાંચમો અને છઠ્ઠો છંટકાવ ત્રીજા છંટકાવ બાદ એક એક માસને ગાળે.


પાનનો સડો
નિયંત્રણ

( ૧ ) ૧ ટકા બોર્ડો મિશ્રણ અથવા ૫૦ ટકા વાલી ત્રાંબા યુક્ત ફૂગનાશક દવા ચાર ગ્રામ/લીટર પાણીમાં ઓગાળી દ્રાવણનો પાન પર છંટકાવ કરવો.



થડ રસ ઝરણ
નિયંત્રણ
  • રોગ લાગેલ પેશીઓ દુર કરવી.
  • આ ભાગ ઉપર બોર્ડોપેસ્ટ/ડામર લગાડવો.
  • ઝાડ ઉપર છેદ ના કરવા.
  • છેદ લાગેલ ભાગ ઉપર બોર્ડોપેસ્ટ/ડામર લગાડવો.


પાનનો સુકારો
નિયંત્રણ

( ૧ ) ૧ ટકા બોર્ડો મિશ્રણ અથવા ૫૦ ટકા વાલી ત્રાંબા યુક્ત ફૂગનાશક દવા ચાર ગ્રામ/લીટર પાણીમાં ઓગાળી દ્રાવણનો પાન પર છંટકાવ કરવો.



મુળનો સુકારો
નિયંત્રણ
  • ભલામણ મુજબ ખાતર ,પાણી અને ખેડ કરવી
  • ઉનાળામાં પિયત નિયમિત આપવું
  • પાનના સડાનું નિયંત્રણ કરવું
  • પ્રતિ કારક જાતો , ઉચી, હાઇબ્રીડ,ઠીગણી જાત નું વાવેતર કરવું


થડ મુળનો સડો
નિયંત્રણ
  • રોગ લાગેલા ઝાડ નો નાશ કરાવો. તે જગ્યામાં કચરો નાખી બાળી દેવું
  • તંદુરસ્ત ઝાડને ૧ % વાળું ૪૦ લીટર બોર્ડો મિશ્રણ જમીનમાં આપવું


અજાણ રોગ
નિયંત્રણ
  • રોગ લાગેલા ઝાડ નો નાશ કરાવો.
  • તંદુરસ્ત ઝાડને ૧ % વાળું ૪૦ લીટર બોર્ડો મિશ્રણ જમીનમાં આપવું સાથે ૫ કિલ્લો લીંબોળીનો ખોળ પ્રતિ ઝાડ આપવો
  • રોગ લાગેલ ઝાડના ખામણા માંથી પાણી પસાર થવા નાં દેવું
  • રોગ લાગેલ ઝાડના થડમાં ઓરિયોફન્જીનાઇન્જેક્શન (૧૦૦મિલી દવા ૧ ગ્રામ મોરથુથું ૧૦૦ મિલી પાણીમાં ઓગાળી આપવું.)

નાળીયેરી