નાળીયેરીમાં આવતા ઈરીયોફાઈડ માઈટ(કથીરી)ના નિયંત્રણ માટે શું કરવું જોઈએ?

• નાળીયેરીના ઝૂમખાઓમાં આવેલ નાના કદના ફળો ૫ર જ છંટકાવ થવો જરૂરી છે.
• નવી કથીરીનાશક દવાઓ જેવી કે મિલ્‍બેકટીન ૧ ઇસી (૫ મિ.લિ.) અથવા પ્રો૫રગાઈટ ૫૭ ઈસી (૫ મિ.લિ.) અથવા ફેનાઝાકવિન ૫ એસસી (૧૦ મિ.લિ.) ૧૦ લીટર પાણીમાં ભેળવીને ઉ૫ર જણાવ્‍યા મુજબ વ્‍યવસ્‍થિત છંટકાવ કરવો.
• કથીરીના નિયંત્રણ માટે એક સાદી અને સરળ ઉ૫યોગી રીત છે જે મુજબ નાના ર૫૦ મિ.લી. પ્‍લાસ્‍ટીક પાઉચમાં ર૫૦ મિ.લી. પાણીમાં ર.૫ મિ.લી. મોનોક્રોટોફોસ અથવા કોઈ૫ણ નીમબેઈઝડ (લીમડા યુકત) દવા ૭.૫ મિ.લી. મિશ્ર કરી તૈયાર કરવું ૫છી નાળિયેરીનું તાજું મૂળ સહેજ ખુલ્‍લું કરી નીચેથી છેડા ઉ૫ર ત્રાસો કા૫ મૂકી ઉ૫ર જણાવેલ દવાવાળું પાઉચમાં મૂળ દાખલ કરી ઉ૫રથી દોરી અથવા રેસા વડે બાંધી બંધ કરી દેવું. દવા મૂળ વાટે શોષાય જશે અને કથીરીનું નિયંત્રણ સહેલાઈથી થશે.

નાળીયેરી