ટપક પિયત પધ્ધતિના કયા કયા ફાયદાઓ છે ?

બાષ્પીભવન તથા નિતારથી થતાં પાણીના વ્યયને નિવારી શકવાથી આ પધ્ધતિથી સિંચાઈ કરતા પાણીનો ૬૦-૮૦ ટકા જેટલો પાણીનો બચાવ થાય છે.
ર. ટીપે-ટીપે પાકની જરુરીયાત મુજબ પાણી અપાતું હોવાથી સારી ગુણવતા તથા વધુ ઉત્પાદન મળે છે.
૩. પાક વહેલો પાકે છે. આથી શરુઆતની અછતમાં વધુ ભાવો મેળવીને માલ વેચી શકાય છે.
૪. ક્ષારીય ભાસ્મિક જમીનમાં વધુ ઉત્પાદન લેવાનું શકય બને છે.
પ. પાકની જરુરીયાતના સમયે રાસાયણિક ખાતરો તથા જંતુનાશક દવાઓ જમીનમાં ટપક સિંચાઈ દ્વારા સહેલાઈથી આપી શકાય છે. પાણી સાથે ઓગાળીને ખાતર આપવાથીતે જમીનમાં છોડના મૂળ વિસ્તારથી બહાર જતું નથી.
૬. ક્ષારયુકત (ખારા) પાણીનો પણ કાર્યક્ષમ ઉપયોગ કરી સારુ ઉત્પાદન મેળવી શકાય છે.
૮. ખાડા ટેકરાવાળી જમીનને સમતળ કર્યા સિવાય સહેલાઈથી સિંચાઈ કરી શકાય છે. આમ જમીન સમતળ કરવાનો ખર્ચ પણ બચે છે.
૯. જમીનનું ધોવાણ અટકાવી શકાય છે. અન્ય પધ્ધતિઓમાં ધોરીયા કે નીકપાળા કરવામાં પણ પાંચ ટકા જમીનનો વ્યય થાય છે. તે આ પધ્ધતિમાં નિવારી શકાય છે.
૧૦. ખૂબ જ ઓછું નીંદણ થવાથી નીંદણ ખર્ચ ઘટે છે. ઉપરાંત નીંદણથી જે રોગ-જીવાતનો ફેલાવો થાય છે તે સદંતર નિવારી શકાય છે.

પિયત પાણીનું વ્યવસ્થાપન